નવી દિલ્હી
કોંગ્રેસે પોતાની આસામ યુથ કોંગ્રેસની અધ્યક્ષ અંકિતા દત્તાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢી છે. અંકિતા દત્તા પર પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ છે. અહીં જાણો કોણ છે અંકિતા દત્તા અને છેલ્લા દિવસોથી રાષ્ટ્રીય સ્તર પર તેની ચર્ચા શા માટે થઈ રહી છે
અંકિતા દત્તા તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)ના પ્રમુખ શ્રીનિવાસ બીવી અને તેના સેક્રેટરી વર્ધન યાદવ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આરોપ છે કે છ મહિનાથી અંગીતા સાથે આ બધું ચાલી રહ્યું હતું.
તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ આ અંગે ફરિયાદ કરી હતી. રાહુલે સાંભળ્યું પણ આરોપીઓ સામે કોઈ પગલાં લીધા નહીં. હવે ઉલટું, અંકિતાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી છે.
કારણ બતાવો નોટીસ ફટકારી હતી
આ પહેલા શુક્રવારે અંકિતા દત્તાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. અંકિતા દત્તાએ દિસપુર પોલીસ સ્ટેશનમાં શ્રીનિવાસની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોરાએ અંકિતા દત્તાને લખેલા પત્રમાં કહ્યું છે કે મને આ અંગે કોઈ માહિતી નહોતી. તમને આ વિશે ક્યારેય જાણ કરવામાં આવી ન હતી. મેં તમને વિનંતી કરી હતી કે મામલો પ્રકાશમાં આવ્યા પછી મીડિયામાં કોઈ નિવેદન ન આપો, કારણ કે પક્ષની અંદર કોઈપણ ફરિયાદ માટે એક મિકેનિઝમ છે, જેના માટે તમે સંમત થયા હતા.