માત્ર ડીસા તાલુકો જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લો તેની ઝપેટમાં આવી ગયો હતો અને ઘણી જગ્યાએ ખેડૂતોના ઘરના શેડ અને પાકનો નાશ થયો હતો. જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના પેચદલ ગામમાં જનજીવન ખોરવાયું હતું. ભારે વરસાદના કારણે ગામની ભગવાનપુરા પ્રાથમિક શાળા તરફ જતા વિસ્તારમાં પણ પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને આજે એક માસ થવા છતાં ખેતરો સહિત આશરે 100 હેક્ટર વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પીચદલ ગામના સરપંચ શિવાભાઈ ચૌધરી સહિતના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે, બિપરજોય ચક્રવાતને એક મહિનો થઈ ગયો છે, પરંતુ તે સમયે ગામની 100 હેક્ટર જમીનમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો હજુ પણ આના પરિણામો ભોગવી રહ્યા છે. લોકોને શાળાએ જવા માટે પણ ચારથી પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે. 15 જેટલા ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોએ પોતાના વાહનો અન્યના ખેતરોમાં છોડીને પાણીમાંથી ચાલીને ઘરે જવું પડે છે. ખેતરોમાં પાંચ ફૂટ પાણી ભરાવાના કારણે હવે પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ છે. ખેડુતોએ વધુમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા બીજું કંઈ કરવામાં ન આવે તો તંત્ર દ્વારા તેમના ઘર અને શાળા જવાના માર્ગની બંને બાજુ સુરક્ષા દીવાલ સાથે ઉંચો રોડ બનાવવામાં આવે તો તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.