સ્થાનિક ડેસ્ક: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારીમાં પ્રવેશ મહોત્સવમાં હાજરી આપીને દાંડી બીચ પહોંચ્યા હતા. અધિકારીઓની ટીમ પણ અહીં હાજર હતી. સી.આર.પાટીલે અહીં ચક્રવાતને પહોંચી વળવા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓને સતર્ક રહેવાની સલાહ આપી હતી. જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ પણ હાજર રહ્યા હતા.
સીઆર પાટીલે જણાવ્યું હતું કે ચક્રવાત બિપોરજોય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રાટકે તેવી શક્યતા છે. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક બેઠક બોલાવી છે અને અધિકારીઓને ઝડપથી યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે અને તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ અને કામગીરી પર નજર રાખી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવ જિલ્લાના વિવિધ મંત્રીઓને પરમ દિવસથી રાત્રે ત્યાં પહોંચવાની સૂચના આપી છે અને તે મંત્રીઓને ત્યાંના અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. તંત્ર પણ પુરી તાકાતથી કામ કરી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું, “ગઈકાલે ભાજપના તમામ પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો અને તમામ સાંસદો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. દરેક જિલ્લામાં જ્યાં તેની અસર ન હોય ત્યાં પણ ફૂડ પેકેટ બનાવવા સૂચના આપવામાં આવી છે. જે દરિયાકાંઠાના વિસ્તારમાં છે જ્યાં વાવાઝોડાની સંભાવના છે. જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ મદદ કરવા અને તંત્ર સાથે રહેવા સૂચના આપવામાં આવી છે. છેલ્લી વખત તોફાન આવ્યું હતું, ત્યાં કોઈ મૃત્યુ થયું ન હતું. આ વખતે પણ મૃત્યુને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”