અંબાજીના એક ભક્તે સોનાનો હાર ભેટમાં આપ્યો. સોનાના હારની સાથે બુટી નંગ જડીતેનો નેકલેસ પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે અંબાજી મંદિરમાં એક ભક્તે સોનાનો હાર અર્પણ કર્યો હતો. ભેટમાં મળેલા નેકલેસની કિંમત 3,27,501 રૂપિયા છે. તો આ નેકલેસનું વજન 58.500 ગ્રામ છે. જોધપુર, સુરત અને બાડમેરથી આવેલા ભક્તોમાંથી એકે હાર અર્પણ કર્યો હતો. છેલ્લા 4 દિવસથી યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ નાકોડા, બાડમેર, મંડોલી અને સોનાક્ષેત્રના દર્શન કર્યા બાદ આજે અંબાજી પહોંચ્યા હતા. ભેટ આપ્યા બાદ ભક્તે કહ્યું કે, અમે દર વર્ષે અંબાજી મંદિરે માતાજીના આશીર્વાદ લેવા આવીએ છીએ.
મા જગતજનનું અંબા મંદિર શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ લાખો ભક્તો માતા અંબાના ચરણોમાં માથું નમાવવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિર સુવર્ણ મંદિરના નામથી પણ પ્રખ્યાત છે. ત્યારે ભક્તો પણ પોતાની આસ્થા અને ભક્તિ અનુસાર માતા અંબાને દાન આપે છે. ઘણા ભક્તો સોનું, ચાંદી અને રોકડ દાન પણ કરે છે. આજે જોધપુર, સુરત અને બાડમેરના ભક્તોએ માતાજીના મંદિરે સોનાનો હાર અર્પણ કર્યો હતો.
મા જગતજનનું અંબા મંદિર શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ લાખો ભક્તો માતા અંબાના ચરણોમાં માથું નમાવવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિર સુવર્ણ મંદિરના નામથી પણ પ્રખ્યાત છે. ત્યારે ભક્તો પણ પોતાની આસ્થા અને ભક્તિ અનુસાર માતા અંબાને દાન આપે છે. ઘણા ભક્તો સોનું, ચાંદી અને રોકડ દાન પણ કરે છે. આજે જોધપુર, સુરત અને બાડમેરના ભક્તોએ માતાજીના મંદિરે સોનાનો હાર અર્પણ કર્યો હતો.