ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને 40 કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. 2 કર્મચારીઓના કારણે કંપનીને 40 કરોડનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે કે લોગોની ડિઝાઈન બદલીને અન્ય કંપનીનો કરવામાં આવ્યો છે.
ચિંતન અને ભાવેશ નામના કર્મચારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે બે કર્મચારીઓએ કથિત રીતે બેરિંગ્સ અને સ્પેરપાર્ટ્સની ડિઝાઇનનો લોગો બદલીને અન્ય કંપનીને વેચી દીધો હતો. આ ડિઝાઇન માત્ર કંપનીના યુએસ સ્થિત ગ્રાહકોને જ વેચવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી અને કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
તમને જણાવી દઈએ કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપની છે. જેમાં બેરિંગ્સ અને સ્પેરપાર્ટ્સ બનાવવામાં આવે છે. જેમાં જે તે કંપનીના કર્મચારીઓએ ડિઝાઈનમાં ફેરફાર કરીને લોગો વેચી દીધાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે લોધીકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.