પાંચ ફાયર ટેન્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
(GNS),તા.15
ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીને અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનેલ ભંગાર માર્કેટમાં ભીષણ આગ લાગતા વાતાવરણ ઈમરજન્સી વાહનોના સાયરનથી ગૂંજી ઉઠ્યું હતું. નોંધનીય છે કે ભંગારના ગોડાઉનમાં સમયાંતરે લાગતી આગ પર્યાવરણની ચિંતામાં વધારો કરી રહી છે.અંકલેશ્વરના નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી નોટિફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્કરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ઘટનાને પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આગની ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.