અંબાજી સ્થિત શ્રી શંભુ દશનમ આવાહન અખાડા ભૈરવ ધુના બ્રહ્માલિન ભોલાગીરી મહારાજ સ્થાનક ખાતે ગુરુવારથી સાધુ મહંતોના પાંચ દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના કારણે દેશ-વિદેશના ઋષિ-મુનિઓ અંબાજી પધાર્યા છે. ત્યારબાદ પ્રથમ દિવસે અંબાણીની સાંજની આરતી બાદ અંબાજીના ઈતિહાસમાં પ્રથમ વખત માન સરોવર ખાતે ગંગા આરતી થઈ હતી. પંચ દશનામ અખાડાના થાણાપતિ મહંત વિજયપુરી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી મહા આરતીમાં મેકલદત્તપુરી જર્મની, ઋષિ ભારતી યુ.એસ. એ. મય ભારતી રૂસીયા અને અન્ય સાધુ મહંતોએ ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના દિવસે કોટેશ્વરમાં સંત મહંતોના શાહી સ્નાન બાદ માતાજીના દર્શન સાથે કાર્યક્રમનું સમાપન થશે.