અરવલ્લીના ડુંગરોમાં અખંડ આસ્થા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ જેવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળા સંદર્ભે શક્તિપીઠ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે દૂર-દૂરથી આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે.