આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક જગ્યાએ માટલા તોડવાના કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. તો આખો દેશ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી રહ્યો છે. મથુરા, કાશી, દ્વારકા સહિત અનેક મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજીમાં આજે કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
પૌરાણિક યાત્રાધામ અંબાજી સ્થિત રાધાકૃષ્ણ મંદિરમાં આજે વિશેષ શણગાર સાથે રાધાકૃષ્ણની પૂજા કરવામાં આવી હતી. આ સાથે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી અંબાજી સુધીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રાધાકૃષ્ણ મંદિરે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કૃષ્ણ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને ધામધૂમથી ઉત્સવમાં ભાગ લીધો હતો. અંબાજી નગરમાં 101 મટકી બનાવવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન ફટાકડાથી તમામ માટલાઓ ફોડવામાં આવે છે અને કૃષ્ણ જન્માષ્ટમીનો નાદ સમગ્ર અંબાજીમાં ગુંજી ઉઠે છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ખોડિયાર ચોક ખાતે રાત્રે 8 કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્નકૂટ પણ ચઢાવવામાં આવશે. રાત્રે 101 દિવાની આરતીનું આયોજન કરવામાં આવશે. રાત્રે 12 કલાકે ખોડિયાર ચોક ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો કૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરશે.