બનાસકાંઠા અને રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા જીવંત બન્યા છે. ચારે તરફ ખીલેલી પ્રકૃતિનો આનંદ માણવા લોકો પ્રવાસન સ્થળોએ આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી, બાલારામ, બજોઠીયા, ગંગેશ્વર સહિતના યાત્રાધામ મંદિરો યાત્રિકોને પ્રકૃતિનો આનંદ માણવા અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જ્યાં અંબાજી અને આબુ રોડ વચ્ચે પર્વતની બંને બાજુએથી આવતા બે ધોધના સંગમનો રોમાંચ અનુભવાય છે.