ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ધીના સપ્લાયને લઈને ઘણા વિવાદો થયા હતા. ત્યાં આપવામાં આવેલ ઘી નબળી ગુણવત્તાનું હતું. અનેક વખત તપાસ કરવામાં આવતા માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. આજે સવારે એક વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘરે પહોંચી અને તપાસ શરૂ કરી. હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ દબાણના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.
અમદાવાદના માધુપુરા માર્કેટમાં નીલકંઠ ટ્રેડર્સના નામે કંપની ચલાવતા 47 વર્ષીય જતીન શાહે આજે સવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તે ઈસનપુર પાસે આવેલી સૌજન્ય સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. સવારે 10 વાગ્યે તેની પત્ની તેને જગાડવા તેના રૂમમાં ગઈ ત્યારે તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરતાં નારોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જતીનભાઈ અંબાજી મંદિરમાં ઘી સપ્લાય કરતા હતા. અંબાજી મંદિરમાં ઘીના કારણે વિવાદ થયો હોવાનું અને સમગ્ર તપાસમાં તેનું નામ સામે આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના માધુપુરા માર્કેટમાં નીલકંઠ ટ્રેડર્સના નામે કંપની ચલાવતા 47 વર્ષીય જતીન શાહે આજે સવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તે ઈસનપુર પાસે આવેલી સૌજન્ય સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. સવારે 10 વાગ્યે તેની પત્ની તેને જગાડવા તેના રૂમમાં ગઈ ત્યારે તેણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરતાં નારોલ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જતીનભાઈ અંબાજી મંદિરમાં ઘી સપ્લાય કરતા હતા. અંબાજી મંદિરમાં ઘીના કારણે વિવાદ થયો હોવાનું અને સમગ્ર તપાસમાં તેનું નામ સામે આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.