અંબાલાલ પટેલ હવામાનની આગાહીઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલથી 24 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના વિવિધ ભાગોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગો જેવા કે જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, ધોરાજી, ઉપલેટા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, ગોધરા, પાવાગઢ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા, નડિયાદ, ખેડા, સાવલી, આણંદ, બોરસદ, થાસરા, જંબુસર, ભરૂચ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાર્વત્રિક વાદળ છવાયેલા રહેશે. જ્યારે આગામી 27મી જુલાઇથી ફરી વરસાદી માહોલ શરૂ થશે. આ દરમિયાન ઉત્તર ભારતની નદીઓમાં પૂર આવશે.
વર્તમાન ટર્ફ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી યથાવત રહેવાની શક્યતા છે. આ કારણે ઓગસ્ટમાં પણ હવાનું હળવું દબાણ રહેશે. ઓગસ્ટમાં 2, 3 અને 4 જુલાઈએ ભારે વરસાદને કારણે તાપીના જળસ્તરમાં પણ વધારો થશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે.