3 બાળકો સહિત 8 લોકોના ડૂબી જવાથી મોત, 4 લોકોના ડૂબી જવાથી મોત
ભરૂચ:
વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કિનારે ફરવા ગયેલો એક પરિવાર ભરતીના કારણે ડૂબી ગયો હતો. ભરતીનું પાણી અચાનક આવી જતાં એકને બચાવવાના પ્રયાસમાં 7થી વધુ લોકો ડૂબી ગયા હતા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલર ગામમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 બાળકો સહિત 8 લોકોના ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને તમામ 8 લોકોને હોસ્પિટલ લઈ ગયા. અન્ય માટે શોધ ચાલુ છે. આ ઘટનાની જાણ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચના વાગરા તાલુકાના મુલર ગામે બાળકો સહિત 7 લોકોના ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કિનારે ફરવા ગયેલો એક પરિવાર ભરતીના કારણે ડૂબી ગયો હતો. ભરતીનું પાણી અચાનક આવી જતાં એકને બચાવવાના પ્રયાસમાં 7થી વધુ લોકો ડૂબી ગયા હતા.
હોસ્પિટલમાં લઈ જતી વખતે બાળકોનું ડૂબી જવાથી મોત થયું હતું. તપાસ દરમિયાન ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો છે. ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે.