ગયા માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ : ડીસામાં અખિલ ભારતીય અખિલ પક્ષીય ગાય સંરક્ષણ મહાઅભિયાન સમિતિ અંતર્ગત વિવિધ સંગઠનોના આગેવાનોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવી ગૌહત્યા પર પ્રતિબંધ મુકવા માટે સબ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
ભારતમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે પરંતુ તેની પણ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 93 કરોડથી વધુ ગાયો હતી, પરંતુ ગાયોની સતત હત્યાને કારણે આજે આપણા દેશમાં માત્ર 9 કરોડ ગાયો જ બચી છે. ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા માટે અખિલ ભારતીય સર્વપક્ષીય ગૌ સંરક્ષણ મહાઅભિયાન સમિતિ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસાના રિસાલા મંદિરેથી વિવિધ સંસ્થાઓના આગેવાનો અને જાગૃત લોકોએ જાગૃતિ રેલી કાઢી હતી. ‘જે ગૌહત્યા બંધ કરશે તે દેશ પર રાજ કરશે’ જેવા નારા સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી.