અમદાવાદના એક પટેલ દંપતીનું અમદાવાદથી પહેલગામની રિવર રાફ્ટિંગ ટ્રીપ દરમિયાન અકસ્માતમાં મોત થયું હતું. અન્ય એક પ્રવાસીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ઉનાળામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રવાસ કરે છે. જો કે, તેમની સાથે ક્યારેક દુ:ખદ ઘટનાઓ બને છે. અમદાવાદથી પહેલગામ ગયેલા બે ગુજરાતીઓના રાફ્ટિંગ દરમિયાન મોત થયા છે. બંને મૃતકો અમદાવાદના રહેવાસી છે.
પહેલગામમાં રાફ્ટિંગ અકસ્માતમાં બે પ્રવાસીઓના મોત થયા છે જ્યારે એકનો બચાવ થયો છે. રાફ્ટિંગ બોટ અકસ્માતમાં મૃતકોની ઓળખ પટેલ શર્મિલાબેન ભીખાભાઈ, (સૈજપુરબોઘા) અમદાવાદ અને પટેલ ભીખાભાઈ અંબાલાલ, (સૈજપુરબોઘા) તરીકે થઈ છે.
હવે બંનેના મૃતદેહ SDH પહેલગામમાં છે. નદીમાંથી બચાવી લેવામાં આવેલા એક વ્યક્તિની ઓળખ મુસ્કાન ખાન તરીકે થઈ છે, જેને જીએમસી અનંતનાગમાં રિફર કરવામાં આવી છે, તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.