(GNS),તા.29
અમદાવાદ,
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવનાર છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના પવિત્ર અવસરે ગુજરાતના કરોડો ભક્તોમાં ઉત્સાહ છે, હવે ગુજરાતમાં બનેલા ખાસ નગારા અને અજયબાન પણ રામ મંદિરની શોભા વધારનાર છે.રામ મંદિર માટે ગુજરાતમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં આવી છે. અને અયોધ્યા મોકલ્યા. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલો પાંચ ફૂટ લાંબી પંચધાતુ અજયબાન બનાવીને અંબાજી લાવવામાં આવી છે. અજયબાને ગબ્બર ગઢ લઈ જવામાં આવ્યા હતા અને અજયબાનુ પૂજન કર્યા બાદ આરતી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભગવાન શ્રી રામનો અંબાજી સાથે જૂનો સંબંધ છે. કારણ કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામને શ્રૃંગી ઋષિએ માતાજીની પૂજા કરવાનું કહ્યું હતું અને માતાજીએ પ્રસન્ન થઈને રાવણને મારવા માટે અજયબાન આપ્યું હતું, આ એ જ અજયબાનની પ્રતિકૃતિ છે.