અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જોધપુર-સેટેલાઇટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં સાંજના સમયે ઓફિસમાંથી બહાર નીકળવામાં લોકોને પરેશાની થાય છે. પાણી ભરાઈ જવાથી વાહનચાલકો પરેશાન છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરના અનેક અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.