રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામ પંચાયતોને સફાઈના સાધનો આપવામાં આવે છે. જેથી ગંદા કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સરકારની 10મા નાણાપંચની યોજના હેઠળ સરપંચોને ઈ-બેટરી વાહનોની રજૂઆત કરવામાં આવી છે.
સ્વચ્છતા માટે દરેક ગ્રામ પંચાયતને ઈ-બેટરી વાહનો ખરીદવા માટે અરવલ્લી જિલ્લા પંચાયતને 15મા નાણાપંચમાંથી 10% ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. તે મુજબ કુલ 31 ઈ-બેટરી વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી જિલ્લાના કુલ 17 ગ્રામ પંચાયત સરપંચો માટે આજે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત સભ્યોના હસ્તે કુલ 17 ઈ-બેટરી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-રિક્ષા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘરે-ઘરે જઈને કચરો એકઠો કરશે અને તેનો યોગ્ય નિકાલ કરશે.