રાજ્યની આંગણવાડી સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓએ રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
(GNS),તા.17
અમદાવાદ,
રાજ્યની આંગણવાડી સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓએ તેમના કામના ભારણ અને પગારની માંગને લઈને વિરોધ કર્યો છે. જેમાં વલસાડ, નવસારી, અરવલ્લી, આણંદ અને દાહોદમાં મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વલસાડમાં જિલ્લાની આંગણવાડી મહિલાઓની 300 બહેનોએ લ્યાણ બાગથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા નવસારીમાં 800 આંગણવાડી મહિલા કાર્યકરોએ આંગણવાડીને તાળાબંધી કરી છે. તો અરવલ્લીના મોડાસામાં 70 આંગણવાડી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.
ત્યારે આણંદના પેટલાદ તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને સીડીપીઓ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. તો દાહોદમાં પણ આંગણવાડી કાર્યકરોએ તેમના પ્રશ્નોને લઈને વૈધનાથ મહાદેવ મંદિર ખાતે હડતાળ પાડી હતી.વલસાડ જિલ્લાની આંગણવાડી મહિલાઓએ તેમની માંગણીઓને લઈને વિરોધ કર્યો હતો. 300 બહેનોએ કલ્યાણ બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. તેઓએ કલેક્ટરને યોગ્ય વેતન અને કામના કલાકો નક્કી કરવા અને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન કામગીરી જેવા વિવિધ મુદ્દાઓ અંગે આવેદન આપ્યું હતું. અને તમામ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી.
એક તરફ નવસારી જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયું છે તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકોને નાસ્તો અને ભોજનની ગ્રાન્ટ ન આવતા આજથી 800 જેટલી મહિલા કર્મચારીઓ નવસારી જિલ્લાની આંગણવાડીઓએ 17મી ફેબ્રુઆરી સુધી આંગણવાડીઓને તાળાબંધી કરી અરવલ્લીના મોડાસના ટાઉનહોલ ખાતે કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.બજેટમાં આંગણવાડીઓને પગાર વધારા કે અન્ય કોઈ લાભની જાહેરાત કરવાને બદલે હડતાળ અને ભારત બંધ દેશભરમાં જાહેરાત કરવામાં આવી છે. કાર્યકરો, સંસ્થાના કર્મચારીઓ, ખેડૂતો, આંગણવાડીના આશાવર્કરો સહિત તમામ લોકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. અને 70 થી વધુ દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી.
આણંદના પેટલાદ તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને સીડીપીઓ કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓએ ભેગા થઈ રજાનો અહેવાલ રજૂ કર્યો હતો. ઓફિસમાં અધિકારીઓ હાજર ન મળતા રજાનો રિપોર્ટ ટેબલ પર મુકવામાં આવ્યો હતો. આંગણવાડી અને આશા વર્કર બહેનો પર મોબાઈલ ડેટાનું ભારણ વધવાનો આરોપ છે. દાહોદના વૈધનાથ મહાદેવ મંદિરે આંગણવાડી કાર્યકરો હડતાલ પર છે.તેઓએ સમયસર બિલ ન ચૂકવતા અને બાળકોને સ્વખર્ચે ભોજન ન આપતા રોષ વ્યક્ત કર્યો છે. આંગણવાડી કાર્યકરો તેમની માંગણીઓને લઈને લડતા જોવા મળી રહ્યા છે. વિધાનસભાના બજેટમાં કર્મચારીઓ માટે કંઈ ન હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પગાર વધારાથી લઈને નવા મોબાઈલ આપવા સુધીની ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે. 5 હજાર મહિલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે. આવતીકાલે દાહોદમાં રેલીનું આયોજન કરવાની સાથે કચરો ઉપાડવા માટેની અરજીઓ પણ મળશે.