ઉંચા અને નીચાના બંધનમાંથી આપણે હજુ બહાર નથી આવ્યા. ત્યારે દરેક સમાજમાં સામાજીક સમરસતા કેળવવા ગુજરાત વાલ્મીકી સંગઠનના લાલજી ભગત દ્વારા સમરસતા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન એ ભાઈ-બહેનની મિત્રતાનો તહેવાર છે, જ્યાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે, પરંતુ સમાજમાં આજે પણ ભેદભાવ અને અસ્પૃશ્યતાનું કલંક જોવા મળે છે. ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સામાજિક સમરસતા જાળવવા માટે આજે સૌ જ્ઞાતિના રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, માલપુરના આંબેડકર હોલમાં તમામ જ્ઞાતિના કાર્યકરો એકઠા થયા હતા અને સામાજિક અવરોધો દૂર કરવા અને સમાજમાં સામાજિક સમરસતાની સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે એક બીજાને રાખડી બાંધી હતી. .