શાસ્ત્રો અનુસાર અધિકામાસના પ્રારંભે વ્યક્તિ જે પણ ભક્તિ ધર્મ કમાય છે તેને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે મુજબ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં મહિલાઓ સ્વયં શ્રી હરિ નારાયણ સ્વરૂપ ભગવાન પુરુષોત્તમની વિશેષ સેવા પૂજા કરે છે. પુરુષોત્તમનો આ પવિત્ર માસ. તેથી મંદિરોમાં, શેરીઓમાં મહિલાઓ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોના પટાંગણમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરશે અને શક્ય તેટલી પૂજા સાથે સર્વ સુરભિક્ષાની પ્રાર્થના કરશે. રાજકોટના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.