એવું લાગી રહ્યું છે કે આજે રાજ્યમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આપઘાતની બે ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં નિવૃત મામલતદારની પુત્રીએ આપઘાત કરી લીધો છે, તો બીજી તરફ વલસાડના સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ જીવનનો અંત આણ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. નાની-નાની બાબતોમાં લોકોએ જીવન ટૂંકાવી લીધાની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે. રાજકોટની ઋષિ વાટિકા સોસાયટી પાસે નિવૃત મામલતદારની પુત્રીએ જાહેર માર્ગ પર આત્મહત્યા કરી લીધી હતી.
ગતરાત્રે ત્રણ વાગ્યા બાદ પોતે સળગીને આત્મહત્યા કરી લીધી હતી. હેતલ ભોજાણી નામની યુવતીએ આપઘાત કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે. જાણવા મળ્યું છે કે યુવતી તેના BAMS ના ગ્રેજ્યુએશન સર્ટિફિકેટમાં વિલંબને કારણે હતાશ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.દીકરીના મોતની સાથે જ પરિવારમાં ચકચાર મચી જવા પામી છે.
સેલવાસમાં સિટી બસમાં કામ કરતી યુવતીએ આપઘાત કરી લીધો છે. સરસ્વતી નામની યુવતીએ ગળું દબાવી જીવનનો અંત આણ્યો છે. તમને જણાવી દઈએ કે યુવતી પર બસમાં ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ હતો. યુવતીની આત્મહત્યા બાદ સ્માર્ટ સિટી બસ પ્રોજેક્ટના કર્મચારીઓએ યુવતીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી અને મેનેજરે તેની સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા.