(GNS),તા.27
આણંદ,
આણંદ નજીકના વલ્લભવિદ્યા નગરમાં 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સમરસ હોસ્ટેલમાં રહેતા એક યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા સમગ્ર હોસ્ટેલમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ચેપ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોરના વડદલા ગામનો યુવક પિયુષ ચૌહાણ વલ્લભવિદ્યાનગર કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગઈકાલે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું અકાળે મોત નીપજ્યું હતું. 19 વર્ષના પિયુષ ચૌહાણના મોતને પગલે સમગ્ર હોસ્ટેલમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથે જ યુવકનો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ચૌહાણ પરિવારના વ્હાલસોયા દિકરાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.