મહેસાણા જિલ્લામાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બેચરાજીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની અડફેટે આધેડનું મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ બેચરાજી પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હસલપુર ઝાલાવાસમાં રહેતા ભરતભાઈ પટેલ તેમના એક્ટિવા પર 135 મસાલાની હેરફેર કરતા હતા. બેચરની બાલાજી સોસાયટી પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેચરજી તરફથી આવી રહેલા ટ્રકના ચાલકે આધેડ એક્ટિવાને ટક્કર મારી હતી.
અકસ્માતમાં એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો અને ટ્રકના ટાયર તેના શરીર પર ફરી વળ્યા હતા. જેથી તેને વધુ ઈજાઓ થતાં બેચરાજી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવ બાદ જીતુભાઈ પટેલે ટ્રક ચાલક સામે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતમાં એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો અને ટ્રકના ટાયર તેના શરીર પર ફરી વળ્યા હતા. જેથી તેને વધુ ઈજાઓ થતાં બેચરાજી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવ બાદ જીતુભાઈ પટેલે ટ્રક ચાલક સામે બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.