બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી જામડા ગામમાંથી નીકળતી ઇધતા માઇનોરમાં પાણી બંધ થતાં થરાદ અને વાવ તાલુકાના સાત ગામોની હાલત કફોડી બની છે, ત્યારે નર્મદા વિભાગ પણ પાણી આપવા માટે પ્રયાસો કરી રહ્યું છે. મુખ્ય કેનાલમાં પાણીનું સ્તર જળવાઈ રહે તો ખેડૂતોને સતત પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી ઇધતા માઇનોર કેનાલમાં છેલ્લા 15 દિવસથી પાણી ન મળતાં નારાજ ખેડૂતોએ નર્મદા વિભાગને આવેદનપત્ર આપ્યું હતું. જેના કારણે નર્મદા વિભાગ દ્વારા મુખ્ય કેનાલમાં બંધ બાંધીને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે નાની કેનાલમાં પણ પાણીનું સ્તર જળવાતું ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.