(GNS),10
ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ધોરાજી તાલુકાના પાટણવાવમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઓસમ ડુંગર ખાતે ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક પ્રવાસીઓ ડુંગર ખાતે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. જ્યાં ડુંગરના પૂરના કારણે દર્શનાર્થીઓ ફસાઈ ગયા હતા. વરસાદના કારણે લોકોને નીચે ઉતરવામાં મુશ્કેલી પડી રહી હતી. મહત્વનું છે કે પાટણવાવમાં 2 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.