રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ઘાતકી હત્યાના પ્રત્યાઘાતરૂપે રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠાના પાંથાવાડામાં સ્વયંભૂ બજારો બંધ રહ્યા હતા અને શાંતિ પૂર્ણ મહેલમાં મોટી સંખ્યામાં રેલીઓ કાઢવામાં આવી હતી. અને હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ ઘટના બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કાલુ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગઈકાલે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે અજાણ્યા લોકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો તે નિંદનીય છે. આ ઘટનાથી અમે અત્યંત દુ:ખી છીએ અને માંગણી કરીએ છીએ કે હત્યારાઓને પકડીને વહીવટીતંત્ર કડક કાર્યવાહી કરે અને તેમને જાહેરમાં ફાંસી આપે.