(GNS),તા.23
ગાંધીનગર,
કોમી સમરસતા અભિયાન સપ્તાહ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સૌહાર્દની લાગણીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, 19 થી 25 નવેમ્બર સુધી દેશભરમાં કોમી સમરસતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના તમામ સભ્યોને શપથ લેવડાવ્યા હતા.
તેઓએ રાષ્ટ્રીય અખંડિતતાના શપથ લીધા કે ‘હું પ્રતિજ્ઞા સાથે કહું છું કે હું દેશની સ્વતંત્રતા અને અખંડિતતાની રક્ષા કરવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે મારી ફરજ સમર્પણ સાથે નિભાવીશ.
હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારેય હિંસાના માર્ગ પર નહીં જઉં. અને હું ધર્મ, ભાષા અથવા પ્રદેશને લગતા ભેદભાવ, સંઘર્ષ અથવા અન્ય રાજકીય અને આર્થિક ફરિયાદોને શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે ઉકેલવાના પ્રયાસો કરીશ.
રાજભવન સંકુલમાં રાજ્યપાલના પ્રથમ સચિવ શ્રી રાજેશ મંજુ, એડીસી શ્રી વિકાસ સુંદા અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય અખંડિતતાના શપથ લીધા હતા.