ગુજરાતઃ ગુજરાતના ગરબા પહેલાથી જ આખી દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ હવે ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે એક અલગ જ ઓળખ મળી છે. ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. જે દરેક ગરબા પ્રેમી માટે જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ગરબાનો તાલ આખી દુનિયામાં ગુંજશે. જાહેરાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી.
ગરબા એ દિવ્ય નારી – આદિ દેવીની પૂજાની અનન્ય અભિવ્યક્તિ છે.
ગરબાનો સમાવેશ @UNESCO
અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી ખરેખર ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ દ્વારા આપવામાં આવેલ આ સન્માન છે.… https://t.co/dBYQ0hGZWJ– ભૂપેન્દ્ર પટેલ (@Bhupenderbjp) 6 ડિસેમ્બર 2023
ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી. કિશન રેડ્ડીએ સૌપ્રથમ આ માહિતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે તીવ્ર રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ તરીકે ‘ગુજરાતના ગરબા’ને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી (ICH)ની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર તે ભારતનું 15મું ICH તત્વ છે. ગરબા એ ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા છે, જે ભૌગોલિક સીમાઓને પાર કરે છે. આ યાદીમાં સામેલ થવું એ માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં આ સરકારના અથાક પ્રયાસોનું પ્રમાણ છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે ગરબા એ માતા આદ્યશક્તિ દેવીની પૂજાનું અનોખું સ્વરૂપ છે. નેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગરબાનો સમાવેશ એ ખરેખર ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ દ્વારા આપવામાં આવેલ આ સન્માન છે. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું. આજે ગરબાને જે વૈશ્વિક ઓળખ મળી છે તે ભારતના વર્ષો જૂના વારસા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાના પીએમ મોદી અને કેન્દ્ર સરકારના તમામ પ્રયાસોનું પરિણામ છે. ગુજરાતની જનતાને અભિનંદન.