(GNS),તા.20
અમદાવાદ,
ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ હવે કેમ્પસમાંથી ઉર્દૂ ભાષામાં લખેલા લખાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમ્પસમાં દિવાલો પર ઉર્દૂ ભાષામાં લખાણો જોવા મળ્યા હતા અને હવે તંત્ર દ્વારા તેને દૂર કરવામાં આવ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને તેનું પાલન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ કેમ્પસમાંથી લખાણો હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. હવે સુરક્ષા માટે પૂર્વ સેનાના જવાનોને પણ કેમ્પસમાં તૈનાત કરવામાં આવ્યા છે.