(જીએનએસ) તા. 3
ગાંધીનગર,
તા. 3જી ડિસેમ્બર 1884ના રોજ બિહારમાં જન્મેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના 139મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના પોડિયમમાં મુકવામાં આવેલ તેમના તૈલચિત્રને આજે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ, સંયુક્ત સચિવ શ્રી ચેતન પંડ્યા, વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનના તેમના જીવનની યાદોને યાદ કરી.