ચાર દિવસ સુધી પાણી ન આવ્યું તો પાલિકાએ ખોદકામ કરાવ્યું.
સિદ્ધપુરના ઉપરી ગલી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાંથી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પાલિકાની ટીમ દ્વારા પાણીની પાઈપલાઈનનું ખોદકામ કરી તપાસ કરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી પાણી આવતું ન હતું, જેથી પાલિકાએ ખોદકામ કરીને તપાસ કરવી પડી હતી.
પાઇપલાઇનમાંથી અજાણી યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા છે. બાળકીનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવતાં મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે લાશને પીએમ અર્થે રાખી તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના ડો.હર્ષ ત્રિવેદીએ આ મામલે જણાવ્યું હતું કે, અવશેષો આવી ગયા છે. તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેથી તે માનવ છે કે પ્રાણી છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો વધુ તપાસ માટે અમદાવાદ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે.