(જીએનએસ) તા. 27
વડોદરા
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ચાલી રહેલા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે મંગળવારે વડોદરાના વોર્ડ નંબર 10 ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જનસંપર્ક અભિયાનનું આયોજન કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જનસંપર્ક કરી વડીલોના આશીર્વાદ લીધા હતા.
મંત્રી હર્ષ સંઘવીએ દરેક ઘરે સ્ટીકર લગાવીને માહિતીપ્રદ મેગેઝીનનું વિતરણ કર્યું હતું. મંત્રીશ્રીના આ જનસંપર્ક અભિયાન દરમિયાન શહેરીજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ સેવા અને તેમના વિકાસ કાર્યોને યાદ કરી આશીર્વાદ પાઠવ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રીનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
વડોદરાના નાગરિકો સાથે મળીને મંત્રીએ કેન્દ્ર સરકારના દૂરંદેશી નિર્ણયો, લોકલક્ષી કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.