તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે આગામી કેટલાક વર્ષોમાં તમામ રાજ્યોમાં ભગવાન વેંકંટેશ્વર મંદિરો સ્થાપવાનું નક્કી કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત છે. હાલમાં ભગવાન વેંકટેશ્વરનું મંદિર જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત, છત્તીસગઢમાં બનેલ છે. ગુજરાતમાં ગાંધીનગર, છત્તીસગઢ અને બિહારના રાયપુરમાં ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવાનો પણ વિચાર છે, જેના પર નીતિશ કુમાર સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1933માં કરવામાં આવી હતી. તે સમયે ટ્રસ્ટ તિરુમાલા ખાતે ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુચાનુર ખાતે શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિ ખાતે શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિરનું સંચાલન કરી રહ્યું હતું. આ પછી ટ્રસ્ટે 9 દાયકામાં ભગવાન વેંકટેશ્વરના 58 મંદિરોની સ્થાપના કરી. મોટાભાગના મંદિરો દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે. ટ્રસ્ટે ઉત્તર અને પૂર્વ ભારત સહિત સમગ્ર દેશમાં ભગવાન વેંકટેશ્વર મંદિરો સ્થાપવાનું નક્કી કર્યું છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બાલાજી મંદિરની સ્થાપના કરી હતી. ટ્રસ્ટે 2019માં કન્યાકુમારી ખાતે ભગવાન વેંકંટેશ્વરનું મંદિર સ્થાપીને પગપેસારો કર્યો. જમ્મુમાં 8મી જૂન 2023ના રોજ ભગવાન વેંકટેશ્વરના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરની પ્રતિકૃતિ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે નવી મુંબઈમાં લગભગ 600 કરોડ રૂપિયાની 10 એકર જમીન મંદિર ટ્રસ્ટને આપી છે. આ મંદિરના નિર્માણ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના પ્રમુખ વાયવી સુબ્બા રેડ્ડીનું કહેવું છે કે ભગવાન વેંકટેશ્વરના મંદિરને 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભક્તોના ઘર સુધી લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની સૂચનાઓને અનુસરીને, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દક્ષિણ ભારતીય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં નાના મંદિરો પણ બનાવશે.