વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે 15મી નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસે ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ તાલુકાના ચડાસણા ગામે સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી લઇ જવા અને તે અંગે જાગૃતિ આવે તે હેતુથી ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તેમ પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ લાલીબેઠ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, ભાવેશભાઈ દેસાઈ, મંગાજી ઠાકોર, રામુજી ઠાકોર, પ્રકાશભાઈ પટેલ, જેરામભાઈ દેસાઈ, પાટણ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.