પાટણ શહેરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે પંચમુખી હનુમાન મંદિરથી કુબેરેશ્વર મહાદેવ (સિદ્ધિ સરોવર) સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. શ્રાવણ માસના છેલ્લા સોમવારના શુભ અવસરે પાટણ શહેરમાં જોષી પરિવાર દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડયાત્રા પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થઈ શહેરના સિદ્ધિ સરોવર પાસેના સુપ્રસિદ્ધ કુબેરેશ્વર મહાદેવ ખાતે સમાપ્ત થઈ હતી. મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ કાવડ યાત્રાનું સ્વાગત કર્યું હતું.
કાવડયાત્રા પંચમુખી હનુમાનજી મંદિરેથી શરૂ થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા કુબેરેશ્વર મહાદેવ ખાતે સમાપ્ત થઈ હતી. ત્યાં ભગવાન મહાદેવના મહિમાની સ્તુતિ કરવામાં આવી હતી અને ભક્તો દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રામાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, ગોપાલ રાજપૂત તેમજ જોષી પરિવારના સભ્યો અને પાટણના ધામ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.