મુંબઈ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે ગૌતમ અદાણી ગ્રૂપનો કર પૂર્વેનો નફો વાર્ષિક ધોરણે 42 ટકા વધ્યો છે. અદાણી ગ્રૂપે માહિતી આપી હતી કે તેના એરપોર્ટથી પાવર અને સી પોર્ટ સેક્ટરમાં આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જૂથે રૂ. 23,532 કરોડનો કરવેરા પહેલાં નફો નોંધાવ્યો હતો. આ નાણાકીય વર્ષ 2018-19માં નોંધાયેલા રૂ. 24,780 કરોડના કર પહેલાંના નફાની લગભગ બરાબર છે. ગ્રૂપની 10 કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
તેમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ., અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ., અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. આશરે રૂ. 42,115 કરોડની રોકડને ધ્યાનમાં લીધા બાદ આ કંપનીઓના ચોખ્ખા દેવાનો બોજ રૂ. 18,689.7 કરોડ છે.
ગ્રૂપના પ્રમોટર્સે GQG પોટનર્સ જેવા રોકાણકારોને 10 લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચમાં હિસ્સો વેચ્યો છે. તેના કારણે ગ્રુપ કંપનીઓના શેરમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રૂપના કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝ બિઝનેસે પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 20,233 કરોડનો કરવેરા પહેલાં નફો નોંધાવ્યો છે. આ ટેક્સ પહેલાંના કુલ નફાના 86 ટકા જેટલું કામ કરે છે. એ જ રીતે, આ સમયગાળા દરમિયાન એરપોર્ટ, ગ્રીન હાઇડ્રોજન અને જૂથના અન્ય વ્યવસાયોનો કર પહેલાંનો નફો વાર્ષિક ધોરણે લગભગ બમણો વધીને રૂ. 1,718 કરોડ થયો છે. આ ટેક્સ પહેલાંના કુલ નફાના સાત ટકા છે. કંપનીના સિમેન્ટ બિઝનેસનો ટેક્સ પહેલાંનો નફો 54 ટકા વધીને રૂ. 1,935 કરોડ થયો છે.