માતલી ગામ પાસે ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જામનગરના કાલાવડમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોની હાલ જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ હાઈવે પર બોટી માતલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગોઝારામાં થયેલા આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 મારફત ઈજાગ્રસ્ત વ્યક્તિને ફોન કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં મસીતિયાના પ્રખ્યાત ધર્મગુરુ સૈયદ અમનશા સિદ્દીકમીયા બાપુનું મોત નિપજ્યું છે. તેમજ અકસ્માતના પગલે મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ છે. સ્થાનિક આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા છે.
રાત્રીના સમયે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મસીતિયાના પૂજારી ગણાતા સૈયદ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમાજ અને મસીટીયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના પ્રમુખ હાજી કાસમભાઇ ખફી, હનીફભાઇ પટાણી અને ઇકબાલભાઇ ખફી (ભુરાભાઇ) સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.