(જીએનએસ) તા. 27
ગાંધીનગર/જામનગર,
કેમ્પસમાં જ વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે જામનગર ડેન્ટલ કોલેજમાં નવી છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ આરોગ્ય મંત્રી શ્રી હૃષિકેશ પટેલે વિધાનસભાના સભ્ય શ્રી રીવાબા જાડેજા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજમાં નવીન યુ.જી. છાત્રાલયના બાંધકામ માટે રૂ. 37.38 કરોડની મંજુરી આપવામાં આવી છે. આ કોલેજમાં 400 વિદ્યાર્થીઓને હયાત હોસ્ટેલમાં રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. નવા યુ.જી. છાત્રાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ વધુ 330 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.