ગુજરાતમાં ચક્રવાતી તોફાન બૈપોરજોયના આગમનની દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે તંત્ર સતત લોકોને એલર્ટ કરી રહ્યું છે અને ખાસ કરીને માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. બંદરો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ જામનગરના નવા બંદરે ત્રણ વ્યક્તિઓ દરિયામાં માછીમારી કરતા જોવા મળ્યા હતા.