જૂનાગઢમાં મકાન ધરાશાયી થવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, જૂનાગઢના અંબિકા ચોકમાં જર્જરિત બિલ્ડીંગની બાલ્કની પડી ગઈ છે. જોકે રાહતની વાત એ છે કે ઈમારતની નીચે કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનાગઢમાં એક જર્જરિત 2 માળની ઇમારત ધરાશાયી થઇ હતી અને ઇમારતમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા.