ડીસા તાલુકાના બાયવાડા ગામે નીલગાયએ શૌચ કરવા બેઠેલા આધેડને ગંભીર રીતે ઘાયલ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવાતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.ડીસા તાલુકાના બાયવાડા ગામમાં રહેતા 42 વર્ષીય શંભુજી પોપટજી ઠાકોર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે તે સામાજીક કામ અર્થે ગામમાં ગયો હતો. તેમજ તે ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે તે બાયવાડા ગામમાં આવેલા તળાવ પાસે શૌચ કરવા બેઠો હતો. ત્યારે અચાનક એક નીલગાય તેના પર પડી હતી અને નીલગાયનું શિંગ તેના મોઢામાં ઘુસી ગયું હતું અને તે ગંભીર રીતે ઘવાયો હતો.
ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. નીલગાયના શિંગડાના અવાજથી શંભુજી ઠાકોરનું લોહીલુહાણ થયું હતું. તેમજ આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બે સંતાનોના પિતાના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.