ભોયણ ગામના પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલી હનુમાનજીની મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીના મંદિરે દરરોજ પૂજા-અર્ચના માટે લોકો ઉમટી પડે છે. આજે સવારે જ્યારે પૂજારીએ મંદિર ખોલ્યું ત્યારે કોઈએ મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ તોડી નાખી હતી. આવી સ્થિતિમાં મંદિરમાં પૂજા કરવા આવેલા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ ગામના સરપંચ મહેન્દ્રભાઈ પ્રજાપતિને થતાં સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા. કેટલાક અસામાજિક તત્વોએ રાત્રે હનુમાનજીની મૂર્તિ તોડીને લોકોની લાગણી દુભાવી છે. સરપંચે જણાવ્યું કે નીલકંઠ મહાદેવ મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ હનુમાનજીની મૂર્તિની તોડફોડ કરી હોવાનું પુજારીએ જણાવતાં અમે તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.
ગામના પૂર્વ પ્રતિનિધિ જયંતિજી ઠાકોર અને યુવા આગેવાન પ્રકાશ ઠાકોર મંદિરે પહોંચ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગામના મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર મૂર્તિઓ તોડવામાં આવે છે. આ પહેલા પણ રામાપીરના મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તેમના ઘોડા સળગાવી દીધા હતા. આવી સ્થિતિમાં અવારનવાર મંદિરો પર હુમલા અને મૂર્તિઓ તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.
ગામના પૂર્વ પ્રતિનિધિ જયંતિજી ઠાકોર અને યુવા આગેવાન પ્રકાશ ઠાકોર મંદિરે પહોંચ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ગામના મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર મૂર્તિઓ તોડવામાં આવે છે. આ પહેલા પણ રામાપીરના મંદિરમાં કેટલાક અસામાજિક તત્વોએ તેમના ઘોડા સળગાવી દીધા હતા. આવી સ્થિતિમાં અવારનવાર મંદિરો પર હુમલા અને મૂર્તિઓ તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.