ડીસામાં ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાનમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મૃત પશુઓ નાખવામાં આવતા ચોતરફ દુર્ગંધ ઉઠતા રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. અહીં અવારનવાર મૃત પશુઓ નખાતા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.ડીસાના ઐતિહાસિક હવાઈ પીલ્લર મેદાનમાં કેટલા કેટલાય સમયથી દુર્ગંધ ઉઠી રહી છે. અહીં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અવાર-નવાર મરેલા ઢોર ખુલ્લા મેદાનમાં નાખવામાં આવે છે. હાલમાં પણ એક મૃતગાય પડી હોવાથી ચો તરફ દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે.
હવાઈ પીલ્લર મેદાનમાં દરરોજ સવારે મોટી સંખ્યામાં બાંધકામ ક્ષેત્રના મજૂરો એકત્રિત થાય છે. જ્યારે અહીં અવારનવાર આરટીઓ કચેરીના કેમ્પ લાગે છે. આ ઉપરાંત મેદાનની સામે જ ડીસાની સેસન્સ કોર્ટ સંકુલ આવેલું છે. જેથી અહીં દિવસ ભર લોકોની ચહલપહલ રહે છે.આ શિવાય મેદાનના બાજુના ભાગે ડીસા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બાગ આવેલો છે ત્યા પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બગીચામાં ફરવા આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ખુલ્લા મેદાનમાં મરેલા ઢોર પડેલા હોવાથી લોકોને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોમાં પણ રોશ ફેલાઈ રહ્યો છે. આ અંગે મૃત ઢોર નાખનારાઓ સામે વોચ ગોઠવી તાત્કાલિક પગલાં લેવાય તેવું નગરજનો ઈચ્છે રહ્યા છે.