ડીસામાં બનેલ નવા બ્રિજ પર મોટી તિરાડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દોઢ અબજના ખર્ચે બનેલા બ્રિજ પર માત્ર બે વર્ષમાં જ મોટી તિરાડો પડી જવાના કારણે કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સરકારે 200 કરોડના ખર્ચે આ બ્રિજ ઊભો કર્યો છે. બનાસકાંઠા ડીસા ખાતે વાહનચાલકો સરળતાથી પસાર થઈ શકે તે માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ પુલ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદો ઉભા થયા હતા. જે બાદ માત્ર બે વર્ષના ગાળામાં જ આ પુલ પર મોટી તિરાડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પુલ પરથી દરરોજ 10,000 થી વધુ વાહનો પસાર થાય છે. આ બ્રિજ પર પડેલી તિરાડોના કારણે વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આ તિરાડો અંગેની માહિતી મળતાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની મોનિટરિંગ એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઈઝર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ કક્ષાએ આગળની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.
આ બાબતે હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, બ્રિજ પર તિરાડો પડવાથી ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. જેના કારણે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બ્રિજ તેના નિર્માણથી જ વિવાદમાં છે. જે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. આ અંગે બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઈઝર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલમાં બ્રિજમાં કોઈ સમસ્યા નથી. તે તમામ તિરાડો જે સામાન્ય છે તે પુલમાં દેખાય છે. આવી તિરાડ 15-15 મીટરમાં આવવાની હોય છે. જો વાહન અથડાવે તો પણ આવી તિરાડ સર્જાય છે.આ માટે આવતીકાલે અમદાવાદથી એક ટીમ આવી રહી છે અને પુલની તપાસ કરવામાં આવશે. સામાન્ય તિરાડ, કોઈ મોટી તિરાડ, તેના જેવી બીજી કોઈ સમસ્યા નથી. જો તમારા ધ્યાનમાં આ આવ્યું છે તો અમે તેની તપાસ કરાવીશું.