હારીજ તાલુકાના તોરણીપુરનો એક યુવક પાટણમાં રથયાત્રા જોવા ગયો હતો અને સાંજે ઘરેથી બાઇક લઈને આવ્યો હતો અને તેના પિતરાઈ ભાઈને ફોન કરીને તેણે કુરેજા કેનાલમાં પડું છું તેમ કહી ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક યુવકનો મૃતદેહ મળ્યો નથી.
તોરણીપુરના યુવાન કિશનભાઈ ચુંડાજી ઠાકોર 20મીને મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા પાટણ ગયા હતા. સાંજના સુમારે બાઇક લઇને ઘરે આવ્યો અને મારા પિતરાઇ ભાઇ રાહુલને ફોન પર કહ્યું કે હું નર્મદા કેનાલમાં પડું છું.
આટલું કહેતાં જ તેના ભાઈ રાહુલે ફોન સ્વીચ ઓફ કરી પરિવારને જાણ કરતાં તમામ કેનાલ પાસે દોડી આવ્યા હતા અને કુરેજા બસ સ્ટેન્ડ પરથી તેની બાઇક અને મોબાઇલ મળી આવ્યો હતો. પરિવારે તંત્રને બોલાવી પાટણ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. બુધવારે સાંજ સુધી યુવકનો મૃતદેહ મળ્યો ન હતો. યુવાન પુત્ર કેનાલમાં પડી જવાની શક્યતાને પગલે પરિવારજનોમાં ફરી એક વખત શોકનું મોજુ ફરી વળ્યું છે.
આટલું કહેતાં જ તેના ભાઈ રાહુલે ફોન સ્વીચ ઓફ કરી પરિવારને જાણ કરતાં તમામ કેનાલ પાસે દોડી આવ્યા હતા અને કુરેજા બસ સ્ટેન્ડ પરથી તેની બાઇક અને મોબાઇલ મળી આવ્યો હતો. પરિવારે તંત્રને બોલાવી પાટણ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. બુધવારે સાંજ સુધી યુવકનો મૃતદેહ મળ્યો ન હતો. યુવાન પુત્ર કેનાલમાં પડી જવાની શક્યતાને પગલે પરિવારજનોમાં ફરી એક વખત શોકનું મોજુ ફરી વળ્યું છે.