મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત પહેલ કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને સ્વચ્છતા કાર્યક્રમો દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે થરાદ તાલુકાના કરણપુરા, દાંતા તાલુકાના પેથાપુર અને કાંકરેજમાં વિવિધ જાહેર સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના ચોક અને અન્ય જાહેર સ્થળોએ જમા થયેલો કચરો દૂર કરી ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ્ય આગેવાનોએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કરવામાં આવેલ સ્વચ્છતાની સરાહના કરી ગામને સ્વચ્છ અને સુંદર ગામ બનાવવાનો સંકલ્પ લીધો હતો.