થરાદમાં આગામી અષાઢી બીજે યોજાનારી 33મી ભગવાન જગન્નાથ રથયાત્રા સંદર્ભે પોલીસ અને આગેવાનો વચ્ચે શાંતિસ્મૃતિ બેઠક યોજાઈ હતી. જેમાં આગેવાનોએ ખાતરી આપી હતી કે નગરમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ રહ્યું છે અને રહેશે. શ્રી રામ સેવા સમિતિના જગદીશસિંહ રાજપૂત, બનાસબેંકના ડાયરેક્ટર શૈલેષભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજય ઓઝા, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, પૂર્વ કાર્યકારી પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, કરીયાણા એસોસિએશનના પ્રમુખ નંદુભાઈ મહેશ્વરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણીયા, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીખાન જનમેદની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સત્તાર, ભાઈ મેમણ, મેરાબભાઈ રૌમા, આદિલ બાનવા, બરકતભાઈ સિપાહી તથા શ્રીરામ સેવા સમિતિના સેવકો તથા અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એસપી અક્ષયરાજ મકવાણાએ કાર્યક્રમની સમીક્ષા કરતાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિ અને સહકારની અપીલ સાથે સહકાર આપવા જણાવ્યું હતું જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સાથે રથયાત્રા માટે પોલીસ દ્વારા વીજ કંપનીને ટ્રાફિક ડાયવર્ઝન નોટિસ પણ આપવામાં આવશે. આગેવાનોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ક્યારેય કોઈ અઘટિત ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહેશે તેવી ખાતરી આપી હતી.