થરાદ પંથક ઉપરાંત ધાનેરા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ધાનેરાને અડીને આવેલા થરાદના પાવડાસણમાં રેલ નદીના પટમાં પાણી વહી ગયા હતા. તંત્ર દ્વારા રોડ રીપેરીંગની કામગીરી પણ કરવામાં આવી હતી.
થરાદ અને ધાનેરા પંથકમાં ભારે વરસાદના કારણે પાવડાસનમાં આશીયાનું બેટ આવ્યું હતું. જેના કારણે રવિવારની મધરાતે પડેલા વરસાદથી પાક ધોવાઈ ગયો હતો. ડુવા, પાવડાસણ કિયાલ, દેદુડી, મોરથલ, ડુવા, થરા, દેડુવા, જડીયાળીથી ધાનેરા હાઇવે અને આજુબાજુના 10 ગામોના લોકોનો રસ્તો ધોવાઇ જવાના કારણે અવરજવર થંભી ગઇ હતી.