બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના 75માં જન્મદિવસની ઉજવણી આજે થરાદની ગાયત્રી હાઈસ્કૂલમાં ભવ્ય અને પ્રેરણાદાયી રહી હતી. થરાદ તાલુકા પંચ પરગણા આંજણા પટેલ સમાજ દ્વારા સમાજ રત્ન પરબતભાઈ પટેલનું ઋણ ચૂકવવાના ઉમદા હેતુ માટે રંગારંગ અને યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. આ રજતુલામાંથી મળેલી ચાંદીનો સમાજના શિક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે. પરબતભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા આઠ દિવસથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાંથી ગઈકાલે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત 1200 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આજે તે લોહીનું વજન પણ કરવામાં આવ્યું હતું અને તે લોહી પણ લોકસેવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આજના પ્રેરણાદાયી કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરબતભાઈ પટેલ 1985થી રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. એક સફળ નેતા તરીકે તેમની 40 વર્ષની સફળ રાજકીય કારકિર્દી રહી છે. આજના આ પ્રેરક કાર્યક્રમમાં તેમની બાજુમાં બેઠેલા તેમના પત્ની અજીબેન પટેલ પણ ઉત્સાહિત હતા. અજીબેન પણ તેમના પતિના 75મા જન્મદિવસની આવી આદરણીય ઉજવણીથી ખૂબ જ ખુશ હતા.